પંચકુંડી સુંદરકાંડનો હોમાત્મક યજ્ઞ, મહાઆરતી, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા
જામનગર જિલ્લાના જોડિયાધામ ખાતે આવેલ સુપ્રસિદ્ધ ધાર્મિક સ્થળ ઉદાસીન સંત કુટિર રામવાડી જય ભોલેબાબા આશ્રમ ખાતે તા. ૧૨/૪/૨૫ ને શનિવારના હનુમાન જ્યંતી નિમિતે જ્યોતિ સ્વરૂપ બાલા હનુમાનજી મહારાજદાદાના પાવન સન્મુખ તૅમજ પ્રાતઃ સ્મરણીય ૧૦૦૮ સદગુરૂદેવ ભોલેબાબાજીની અસીમ કૃપાથી હનુમાન જ્યંતી નિમિતે પંચમુખી સુંદરકાડની પ્રત્યેક ચોપાઈ દ્વારા હોમાત્મક યજ્ઞ યોજાયેલ હતો.
ત્યારબાદ હનુમાન ચાલીસાની પ્રત્યેક ચોપાઈ દ્વારા આહુતિ આપવામાં આવેલ હતી, હોમાત્મક યજ્ઞમાં સર્વ સાધક ભાવિક ભક્તજનોએ લાભ લઈ ધન્યતા અનુભવેલ હતી, સવારે ૭ : ૦૦ ક્લાકે જ્યોતિ સ્વરૂપ બાલા હનુમાનજી મહારાજદાદાનું વિશેષ પૂજન યોજાયેલ હતુ, ત્યારબાદ સવારે ૯ થી ૧૨ હોમાત્મક યજ્ઞ તેમજ બપોરે ૧૨ : ૦૦ ક્લાકે દીપમાળા સાથે ઢોલ, નગારા અને ઝાલરો સાથે મહાઆરતી યોજાયેલ હતી, તેમજ સાંજે ૪ થી ૭ ક્લાક દરમ્યાન સૌ સાધક ભાવિક ભક્તજનો દ્વારા સામુહિકમાં સંગીતમય સુંદરકાંડના પાઠ, હનુમાન ચાલીસા, ધૂન, સકીર્તન રાખેલ છે
ત્યારબાદ સાંજે ૭ : 3૦ ક્લાકે દીપમાળા સાથે ઢોલ, નગારા અને ઝાલરો સાથે શ્રી જ્યોતિ સ્વરૂપ બાલા હનુમાનજી મહારાજદાદાની મહાઆરતી કરવામાં આવશે જોડિયાધામની રામવાડીમાં હનુમાન જ્યંતીના પર્વ બપોરે વિશાળ સંખ્યામાં ભાવિકોએ મહાપ્રસાદ લીધેલ હતો હનુમાન જ્યંતીની ભકિતભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવેલ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટના છાપરા ગામે ઇંગ્લિશ દારૂના અડ્ડાનો વિડીયો વાયરલ
April 13, 2025 01:49 PMસાધુ વાસવાની રોડ પર શાકમાર્કેટ પાસે ગેસની પાઇપ લાઇનમાં ભંગાણ
April 13, 2025 01:45 PMરાજકોટ: આજે UPSC દ્વારા શહેરમાં પરીક્ષા યોજાશે
April 13, 2025 01:44 PMમુર્શિદાબાદ હિંસા: ઇન્ટરનેટ સેવા બંધ, 150 થી વધુ લોકોની ધરપકડ
April 13, 2025 12:17 PMભારત ક્યારેય આતંકવાદી રાણાને ત્રાસ આપશે નહીં... યુએસ સેક્રેટરીના ઈમેલમાં ખુલાસો
April 13, 2025 12:08 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech